Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

પોરબંદરમાં માછીમારોને ઓછા વ્‍યાજે લોન

પોરબંદરઃ બોટ માલીકોને ઓછા વ્‍યાજ દરે સહેલાઇથી લોન મળેતે માટે બેંક ઓફ બરોડાના જોનલ મેનેજર સાથે બોટ એસોસીએશન દ્વારા રજુઆત કરતા બેંક ઓફ બરોડા દ્વારા લોનની નવી સ્‍કિમ બોટ માલીકો માટે અમલમાં લાવેલ અને ૭પ બોટ માલીકોને ઓછા વ્‍યાજ દરે બોટ એસોસીએશન ઓફીસમાં જ લોન પાસ કરતા પ્રમુખ મુકેશભાઇ પાંજરી, ઉપપ્રમુખશ્રી ધર્મેશભાઇ ગોહેલ તેમજ કમીટી સભ્‍યોની સાથે બેન્‍ક ઓફ બરોડાના ડેપ્‍યુટી જનરલ મેનેજર (જોનલ ઓફીસ રાજકોટ)ના નરેશસિંહ આસીસ્‍ટન જનરલ મેનેજર (રીઝીયોન હેડ જામનગર)ના મનોજકુમાર સાહુ સાહેબ, ડેપ્‍યુટી રીઝીયોન મેનેજર જામનગરના આલોક કુમાર સિંહા દ્વારા માચ્‍છીમારોને ઓછા વ્‍યાજ દરે લોન આપી તે તસ્‍વીર.

(2:07 pm IST)