Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

કચ્છમાં ટ્રકમાં તોડફોડની ફરીયાદ ખોટી, ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનને વિખેરી નાખવા આર્ચિયન કંપનીનું કાવત્રુઃ પ્રદ્યુમનસિંહ જાડેજા

રાજકોટ, તા. ૧૩ :. કચ્છમાં પશ્ચિમ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ અને અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ સહિત ૨૨ વ્યકિતઓ સામે ટ્રકોમાં તોડફોડની ફરીયાદ બાદ આ અંગે અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અકિલાને જણાવ્યુ હતુ કે આ ફરીયાદ ખોટી છે. આર્ચિયન કંપનીએ કચ્છનું પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન વિખેરી નાખવા માટે આ કાવત્રુ રચ્યુ છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ હતુ કે આ અંગે બીએસપી ઉપરાંત રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સહિતનાને રજૂઆત કરી છે. કંપની દ્વારા પ્રારંભે લોકોને લાલચ આપીને પોતાના ટેન્કરો અને ટ્રકો પોતાની કંપનીમાં ચલાવવા માટે મુકીશું તેમ કહ્યુ હતુ ત્યાર બાદ તેઓના ટ્રક ન લઈને કચ્છી લોકો સાથે અન્યાય કર્યો છે.

(4:27 pm IST)