Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

સાવરકુંડલા ગુરૂકુળ દ્વારા યોજાયું સત્સંગ મહા સંમેલન

સાવરકુંડલા,તા.૧૩: પરાત્પર પરબ્રમ્હ પુરુષોત્ત્।મ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના વાંગમય સ્વરૂપ શ્રી વચનામૃત મહાગ્રંથ ને આ વર્ષે ૨૦૦ વર્ષ પૂર્ણ થતા વડતાલ ધામ ને આંગણે આગામી તારીખ ૦૬ થી ૧૨ નવેમ્બર ૨૦૧૯ સુધી શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહામહોત્સવ ઉજવાશે જેના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવર કુંડલા ના આંગણે વિરાટ સત્સંગ સંમેલન નું આયોજન કરવામાં આવેલું

જેમાં સત્સંગ સંમેલન અંતર્ગત પ.પુ.   જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળ વાર્ળાં વકતા પદે બિરાજી કથામૃત નું રસપાન કરાવવામાં આવ્યું હતું .

આ સત્સંગ સભા માં વડતાલ પીઠાધીશ્વર પ.પુ.ધ.ધુ. આચાર્ય પ્રવર ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને ધમો ધામ થી પધારેલા સંતો ના દર્શન અને આશીર્વચન નો લાભ પણ બધા ભકત જનોએ લીધો હતો .

ત્રણ હજાર જેટલા હરિભકતો એ આ દિવ્ય સત્સંગ મહા સંમેલન નો અલભ્ય લાભ લઈ પોતાના જીવનને ધન્ય ભાગી બનાવ્યું . તો સૌ સાથે મળી વચનામૃત દ્વી શતાબ્દી મહોત્સવ ને ઉજવણી શાસ્ત્રીએ અપીલ કરી હતી.

(11:38 am IST)