Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ઘોઘાના ટીડીઓના પત્નીનો આપઘાત

ભાવનગર, તા. ૧૩ : ભાવનગરમાં રહેતી પરણિતાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધો હતો. મૃતક મહિલાના પતિ ઘોઘામાં ટીડીઓ તરીકે ફરજ બજાવે છે.

ભાવનગરમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તણાવભર્યાો જીવન અને હતાશામાં નજીવા કારણોસર પણ આપઘાતના બનાવો બની રહ્યા છે.

મળતી વિગતો મુજબ તળાજા રોડ પર આવેલ શ્રીનાથ રેસીડેન્સીના બ્લોક નં.-૭૪માં રહેતા હેતલબેન વિજયભાઇ સોનગરા ઉ.વ.૩૪ એ કોઇ કારણોસર તેના ઘેર પંખા સાથે પ્લાસ્ટીકની દોરી વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

મૃતક હેતલબેનના પતિ વિજયભાઇ ઘોઘામાં ટીડીઓ તરીકે ફરજ બજાવે છે અને તેમને બે પુત્રો છે. આ બનાવ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનના એ.એસઆઇ. પુરીબેન સોસા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(11:34 am IST)