Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

શારદાબેન ભાદાભાઈ પાનસુરીયા દ્વારા મહિલા મંડળની બહેનોને તિરંગાનું વિતરણ

સાવરકુંડલાઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા ના માતુશ્રી શારદાબેન ભાદાભાઈ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા શહેરના રામજી મંદિર ખાતે તિરંગા નું વિનામૂલ્યે વિતરણ કરી દરેક લોકોને પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી આઝાદીના અમૃતમ ઉજવવા શારદાબા પાનસુરીયાઍ અનુરોધ કર્યો હતો.

(1:47 pm IST)