Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જૂનાગઢમાં વૃધ્ધના બંધ મકાનમાંથી રૂ. ૪૩પ૦૦ની મત્તાનો હાથફેરો

જૂનાગઢ તા. ૧૩: જૂનાગઢમાં વૃધ્ધના બંધ મકાનમાંથી તસ્કરો રૂ. ૪૩,પ૦૦ની મત્તાનો હાથફેરો કરી ગયા હોવાનું બહાર આવેલ છે.

જૂનાગઢમાં ટીંબાવાડીની નાગરિક સોસાયટીમાં રહેતા વૃધ્ધ નિવૃત કરશનભાઇ દેશાભાઇ પરમાર પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે બંધ મકાનનાં દરવાજાનાં નકુચા તોડીને ખાબકેલા તસ્કરો રૂ. ૧૩,પ૦૦ની રોકડ તેમજ સોનાની વીંટી મળી કુલ રૂ. ૪૩પ૦૦નો મુદામાલ ચોરી ગયા હતા.

સી ડીવીઝન પોલીસે ફરિયાદ લઇ ડોગ અને એફએસએલની મદદ લઇ આગળની તપાસ હાથ ધરી છે. (૭.૧૬)

(11:54 am IST)