Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

પોરબંદરના આદીપુરના જયાબેન કળથીયાનું વાહન અકસ્માતમાં મોત

પુત્રના બાઇક પાછળ બેસીને જતી વેળાએ પાછળ બીજુ બાઇક અથડાયું

રાજકોટ તા. ૧૩: પોરબંદરના આદીપુરના મહિલાનું વાહન અકસ્માતમાં મોત નિપજ્યું છે. પુત્રના બાઇક પાછળ બેસીને જતાં હતાં ત્યારે પાછળ બીજુ બાઇક અથડાતાં આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ આદીપુર રહેતાં જયાબેન પોપટભાઇ કળથીયા (ઉ.૪૦) ગઇકાલે બપોરે પુત્રના બાઇક પાછળ બેસીને આદીપુરથી ભાયાવદર જઇ રહ્યા હતાં ત્યારે જામજોધપુર હાઇવે પર પાછળ બીજુ બાઇક અથડાતાં માતા-પુત્ર બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં જયાબેનને ગંભીર ઇજા થતાં ઉપલેટા સારવાર અપાવી રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. એ-ડિવીઝનના એએસઆઇ ડી. બી. ખેરએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)

(10:37 am IST)