Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કચ્છમાં કોરોનાએ વધુ એક ભોગ લીધો : મૃત્યુ આંક 12 થયો : ગાંધીધામના વૃદ્ધએ દમ તોડ્યો

આ અગાઉ ૧૧ મોત થઈ ચૂક્યા છે, જેમાં ૨ દર્દીના મોતમાં અન્ય કારણો દર્શાવાયા છે

ભુજ : કચ્છમાં કોરોનાની મહામારીથી પોઝિટિવ દર્દીઓના વધતાં જતાં વ્યાપ વચ્ચે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે ભારતનગર ગાંધીધામના ૬૦ વર્ષીય દર્દી ભગવાનજી વાલજી સથવારાનું સાંજે મોત નીપજ્યું હતું. જોકે, રાત્રે પોણા નવ વાગ્યે તંત્રએ જાહેર કરેલ યાદીમાં આ મોતનો ઉલ્લેખ કરાયો નથી. ગઈકાલે રાત્રે દાખલ કરાયેલા વૃદ્ધ દર્દી ભગવાનજીભાઈને ડાયાબીટીસ, પ્રેસર સહિત અન્ય બીમારી હોઈ તેમના મોતનું કારણ જાણવા તબીબોની કમિટી તપાસ કરશે. કચ્છમાં આ અગાઉ ૧૧ મોત થઈ ચૂક્યા છે, જેમાં ૨ દર્દીના મોતમાં અન્ય કારણો દર્શાવાયા છે. આજે સાત દર્દીઓ સહિત કચ્છમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૫૬ થઈ છે.
 

(11:13 pm IST)