Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરોના કેસ વધતાં આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગર દોડી આવ્યાઃ બેઠકોનો ધમધમાટ

જામનગરની કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લેશે

જામનગર,તા. ૧૩: જામનગર અને જીલ્લામાં કોરોના કેસમાં વધારો થતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ત્યારે આજે બપોરે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. અને બપોરે ૧૧:૩૦ વાગ્યે આગમન બાદ તેઓ મિટીંગોને ધમધમાટ કરશે.

ત્યારબાદ જરૂર જણાશે તો પત્રકારો સાથે વાતચીત પણ કરશે.

રાજયમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે જોવા મળી રહ્યો છે.એકબાજુ કોરોનાનું એપીસેન્ટર ગણાતા અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં દ્યટાડો જોવા મળ્યો છેઙ્ગ બીજી બાજુ સ્થાનિક જીલ્લા લેવલે સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે ગુજરાત રાજયની સિકયુરીટી ની દ્રષ્ટીએ અતિ મહત્વની એવી ત્રણેય પાંખ ધરાવતા જામનગર જીલ્લામાં પણ હવે કોરોના વકર્યો છે. જીલ્લામાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજયના આરોગ્યઙ્ગ વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ આજે સોમવારે જામનગર જીલ્લાની મુલાકાતે પહોચશે. અને તબીબો અને અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે. આ બેઠક કલેકટર કચેરી ખાતે યોજશે. જામનગર કોવિડ-૧૯ હોસ્પિટલ ની પણ મુલાકાત લઈ શકે છે.(

(11:59 am IST)