Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સોમનાથ સંસ્કૃત યુનિ. દ્વારા ઓનલાઇન સંમેલન

 

પ્રભાસ પાટણઃ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ભૂતપૂર્વ છાત્રોનું ઓનલાઇન સંમેલન યોજાયું હતઅધ્યક્ષ તરીકે કુલપતિ શ્રી પ્રો. ગોપબંધુ મિશ્ર, માર્ગદર્શક તરીકે કુલસચિવ ડો. દશરથ જાદવ તેમજ આયોજક તરીકે યુનિવર્સિટી અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડો. લલિત કુમાર પટેલ અને સંસ્કૃત કોલેજના આચાર્ય ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા એ ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી પરિસરના ૧૬૦ જેટલા ભૂતપૂર્વ છાત્રોએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને ઓનલાઇન કાર્યક્રમમાં ૬૫ જેટલા છાત્રો અને અધ્યાપકોએ હાજરી આપી હતી. ભૂતપૂર્વ છાત્રોએ આ કાર્યક્રમમાં પોતાના પ્રતિભાવો વ્યકત કરી યુનિવર્સિટી પ્રત્યે લાગણીઓ વ્યકત કરી હતી. કાર્યક્રમના અંતે શ્રી વિપુલભાઇ જાદવે આભાર વિધિ કરી હતી.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જીગરભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.ઓનલાઇન સંમેલનમાં ઉદ્બોધન કરનાર વકતાઓની તસ્વીર(તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)(

(10:36 am IST)