Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સોમનાથ મંદિરમાં સ્વચ્છતા માટે નવા ઉપકરણો

પ્રભાસ પાટણઃ સોમનાથ મહાદેવ મંદિર સ્વચ્છ અને ચોખ્ખું ચણાક રહે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી - પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ છેલ્લા ચાર વરસથી કાર્યરત છે. ન્યુટેક ગ્રુપને હાલ આ અંગેની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં સમસ્ત ગુજરાત હેડ પ્રવિણ બરનાલના માર્ગદર્શન હેઠળ નરેશ ચૌહાણની દેખરેખ હેઠળ સ્વચ્છતા વધુ સઘન બને તે માટે નવાં ઉપકરણો કાર્યરત કરાયાં જેમાં વોટર જેક મશીન આ મશીન ધરતી, ર્ફસ ઉપર પાન-પીચકારી ડાઘા કે અન્ય ડાઘા ફૂલ પ્રેસર પાણી છોડી ડાઘા જામેલી માટી દૂર કરાય છે. સ્ક્રબર મશીન જે પણ ડાઘા તેમજ રસ્તાઓ ટોયલેટ બ્લોક સફાઇ કરાય છે.  સ્વચ્છતા માટે નવા ઉપકરણોની તસ્વીર. (તસ્વીર અહેવાલઃ મીનાક્ષી ભાસ્કર વૈદ્ય પ્રભાસ પાટણ)

(10:34 am IST)