Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

દામનગરમાં 'આજ તો તમારા ટાંટીયા ભાંગી નાખવા છે' તેમ કહીને ટોળા દ્વારા દુકાનમાં તોડફોડ

મોટર સાયકલ અથડાવવા જેવી સામાન્ય ઘટના બાદ મામલો બીચકયો

અમરેલી, તા. ૧૩ :. દામનગરમાં રહેતા જયસુખભાઈ નરશીભાઈ રાઠોડના પિતા સાથે ભોળા ભરવાડ નામના શખ્સે મોટર સાયકલ અથડાવવા પ્રશ્ને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ૩૦ થી ૪૦ લોકોનું ટોળુ એકઠુ કરી તેની દુકાને જઈ 'આજ તો તમારા ટાંટીયા ભાંગી નાખવા છે, જીવતા રહેવા દેવા નથી' કહી લાકડી, ધોકા વડે તોડફોડ કર્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

સાવરકુંડલામાં ત્રણ લાખની ઠગાઈ

સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર સૌરાષ્ટ્ર એગ્રો એજન્સીમાં સરસીયાના વલીમ મહમદભાઈ નાડ સાથે વિશાલ જયસુખ પટેલ રે. સાવરકુંડલા સૌરાષ્ટ્ર એગ્રો એજન્સી સંચાલકે સોનાલીકા ડીઆઈ ૩૫ ટ્રેકટર નં. જીજે ૧૪ એ.કે. ૦૪૨૨ની લોન પેટેની રકમ રૂ. ૩,૧૦,૦૦૦ પેટે આવેલ ચેક તથા બેંકની ખોટી બનાવટી એનઓસી બનાવી આપી બનાવટી દસ્તાવેજ ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી વિશ્વાસઘાત ઠગાઈ કર્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

(1:16 pm IST)