Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

જુનાગઢ ભવનાથ તળેટી સ્થિત લાલસ્વામી આશ્રમ ખાતે હરીગીરી બાપુના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા ઉજવાશે

સંતવાણી, ગુરૂપુજન, મહાપ્રસાદ સહીતના આયોજનો

જુનાગઢ તા ૧૩  : જુનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી લાલસ્વામી આશ્રમ ખાતે મંગળવારે મહંત ગીરીબાપુ ગુરૂશ્રી કલ્યાણગીરીબાપુના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે.

 

જેમાં સવારે ૮ કલાકથી હરીગીરીબાપુ તેમના ગુરૂદેવની ચરણપાદુકાનું પુજન કરશે બાદમાં સોૈરાષ્ટ્ર ગુજરાત મુંબઇ સહિતના પ્રાંતોમાંથી આવેલ સેવક સમુહદાય દ્વારા પુ. હરીગીરીબાપુનું ભાવપુજન કરશે અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને પુર્વ સંધ્યાએ નામી અનામી કલાકારોની સંતવાણી યોજાશે તો આ પ્રસંગે ધમ પ્રેર્મી જનતાને લાભ લેવા પુ. બાપુ એ જાહેર નિામંત્રણ પાઠવ્યું છે. અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રવીણગીરી બાપુ અને સેવક સમુહદાય જહેમત ઉઠાવી રહયા છે.

(1:12 pm IST)