Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

જામજોધપુરના ધુનડા સતપુરણ ધામ આશ્રમે વૃધ્ધાશ્રમનું નિર્માણ

જુનાગઢ : જામજોધપુર નજીક આવેલા ધનુડા સતપુરણધામ ખાતે પુ. જેન્તિરામબાપા દ્વારા વિવિધ સમાજ સેવાના કાર્યો થઇ રહયા છે, ત્યારે વધુ એક સેવાશ્રમ આશ્રમનજીક ૨૫૦ વારની જગ્યામાં વડીલ વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમનું નિર્માણ કરાયું છે, જેમાં વૃધ્ધો માટે ૨૧ સંડાસ, બાથરૂમ એટેચ ૧૯*૧૪ના રૂમો બનાવવામાં આવેલ છે. ઉપરોકત તસ્વીરમાં આ વૃધ્ધાશ્રમ ખાતે કામગીરીનું નિરીક્ષણ કરતા સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તિરામબાપા સાથે જામનગરના મગનભાઇ પટેલ તેમજ મુંબઇના નાગજીભાઇ ગજજર, સતિષ પરમાર, અમદાવાદના નટુભાઇ પીઠડીયા, કાંતિભાઇ પટેલ, તેમજ હિતેષભાઇ જેઠવા, હસમુખભાઇ શીલુ, ડાયાભાઇ શીલુ સહિતના સેવક સમુદાય નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ વિનુ જોષી જુનાગઢ)

(11:31 am IST)