Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

ધોરાજી : ૧૩, ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ના શ્રી મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શ્રી શિવ સાગરજી મહારાજ ના પાવન સાનિધ્યમાં તારીખ ૧૭ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે

તારીખ ૧૬ અને મંગળવારના રોજ અખંડ રામાયણ ના પાઠ અને સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી છે ગ્રહણને કારણે ઉત્સવ બીજા દિવસે એટલે કે તારીખ ૧૭ ને બુધવારના રોજ ૯  વ્યાસ પૂજા સંત પૂજા ગુરુ પુજા મહા આરતી શહીદ કાર્યક્રમ યોજાશે બાદ બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ રાખેલ છે આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક અનુયાયીઓ ભાવિક ભકતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

(11:30 am IST)