Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગોંડલમાં ઓકિસજન સિલીન્ડર રિફીલીંગ મુદ્દે પ્રાંત અધિકારીને આવેદન

ગોંડલ,તા. ૧૩: ગોંડલ શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા કોરોના કાળમાં ખૂટી પડેલા ઓકસીજનની જરૂરિયાત પૂરી પાડવા તનતોડ મહેનત કરી સ્વખર્ચે નિશુલ્ક દર્દીઓને ઓકિસજનના સીલીન્ડર અને ઓકિસજન રિફીલિંગ કરી આપવામાં આવ્યા હતા પરંતુ જિલ્લા કલેકટર દ્વારા સામાજિક સંસ્થાઓને સિલેન્ડર રિફીલિંગ કરવા પર મનાઈ હુકમ કરવામાં આવતા.

ગોંડલ સેશન્સ ડિવિઝન અને સિવિલ કોર્ટ બાર એસોસિયેશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં બાર એસોસીએશનના પ્રમુખ આર.એસ.પટેલ, એડવોકેટ અમરીસ ભાઈ અગ્રાવત, સાવનભાઈ પરમાર, કલ્પેશભાઈ વ્યાસ, મંજુલાબેન પરમાર, દક્ષાબેન મકવાણા અને મુકતેશ્વર સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અરવિંદભાઈ ભાલાળા, મંગલમૂર્તિ મશીનરીના સ્વયંસેવક ઓમદેવસિંહ જાડેજા (પાલિકા સદસ્ય), વિમલભાઈ પિત્રોડા સહિતનાઓ જોડાયા હતા અને જણાવ્યું હતું કે ખાનગી કે સરકારી હોસ્પિટલમાં લગભગ બધા બેડ ફૂલ છે દર્દીને તાત્કાલિક ઓકિસજન આપવાની જરૂર પડે તો સિલિન્ડર થી ઓકિસજન આપી શકાય અને દર્દીનો જીવ બચાવી શકાય તેમ છે જે દર્દીને બહારગામ હોસ્પિટલમાં જવું પડે કે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડે તે સમયગાળા દરમિયાન અથવા તો હોસ્પિટલના વેઇટિંગ પીરિયડ દરમિયાન દર્દીને ઓકિસજન સિલિન્ડર વગર એમ્બ્યુલન્સમાં ખાનગી વાહનમાં લઈ જવા પડે ત્યારે ઓકિસજનના અભાવે દર્દીઓની સ્થિતિ જીવલેણ થઈ જાય છે આવો પ્રતિબંધ કોઇપણ રીતે યોગ્ય નથી તો તાકીદે યોગ્ય પગલા લેવા અંતમાં માંગ કરી.

(11:41 am IST)