Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જામનગરમાં પાસ લેવા વેપારીઓની લાઇનો

જામનગરઃઆજ થી કરિયાણાના વેપારીઓએ ત્રણ દરવાજા પાસેથી ૧૧:૦૦ થી ૧૪:૦૦ કલાક વચ્ચે પાસ મેળવવાના રહેશે. આ દરમિયાન કોઈ પ્રશ્નો હોય તો એ પણ તમે રજૂ કરી શકો છો. આ પાસ પોલીસ દ્વારા ઇસ્યુ કરવામાં આવશે. આ માટે કલેકટર સાહેબ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસ સાથે લઈને આવવા તંત્રએ આદેશ કર્યો છે. જામનગરમાં વિસ્તારમાં આજે સવારે વેપારીઓ દ્વારા પાસ લેવા માટે કતારો લગાવેલી જોવા મળી હતી. જામનગર વેપારી મંડળ દ્વારા ત્રણ દરવાજા વિસ્તારમાં સવારે ૯ વાગ્યાથી ૧૧:૩૦ સુધી નાના મોટા વેપારીઓ ને પાસ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી)(તસવીરઃ કિંજલ કારસરીયા. જામનગર)(

(1:12 pm IST)