Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

વઢવાણના મુંજપરાના રાજપૂત યુવકનું અકસ્માતમાં મોત

વઢવાણ તા. ૧૩ :.. ખોલડીયાદ અને મુજપર વચ્ચે કેરાળા હનુમાનજીના મંદિર પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મૃતકનું નામ જીતેન્દ્રસિંહ કીરીટસિંહ પરમાર હોવાનું ખુલ્યું છે. આ બનાવની જાણ મુંજપર ગામમાં થતાં શોકની લાગણી ફેલાઇ છે. જયારે સુરેન્દ્રનગર પોલીસ ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બિસ્માર રસ્તાઓની રીપેરીંગની માંગ પણ ઉઠી છે. હજુ આ બિસ્માર રસ્તાઓ વધુ અકસ્માત સર્જે અને કોઇની વધુ જાન લે તે પહેલા રીપેરીંગ અને નવીનીકરણ જરૂરી બન્યું છે.

(3:41 pm IST)