Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ભાવનગરના રોહીશાળામાં હેલોઝન લાઇટ ફાટતા ૯૦ લોકોને ઝેરી ગેસથી આંખમાં બળતરા

ભાવનગર, તા., ૧૩: ભાવનગર જીલ્લાનાં પાલીતાણા તાલુકાનાં રોહીશાળા ગામે ગત રાત્રે રામાપીરનું આખ્યાન રાખવામાં આવ્યું હતું. આખ્યાન દરમ્યાન મુકવામાં આવેલ એલોઝન લાઇટ ફાટતા તેમાંથી નીકળેલ ઝેરી ગેસની અસર બાળકો સહીત ગ્રામ્યજનોને થતા અસરગ્રસ્તોને પાલીતાણાની માનસિંહજી હોસ્પીટલે ખસેડાયેલ છે.

માનસિંહજી હોસ્પીટલમાં આંખના ડોકટર હાજર ન હોય ભાવનગરથી ખાસ આંખના નિષ્ણાંત ડોકટરોને પાલીતાણા બોલાવવામાં આવેલ હોવાનું  જાણવા મળેલ છે.

આજે સવારે ગામમાં બાળકો સ્કુલે ગયા હતા ત્યારે પરીક્ષા આપતી વખતે આંખમાં  બળતરા શરૂ થતા આ બાળકો ને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે નાના-મોટા ગ્રામ્યજનોની આંખમાં તકલીફ થતાં ગામમાં ભારે દેકારો મચી જવા પામ્યો છે.

(4:29 pm IST)