Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ચોટીલા ચેમ્બર્સ ઓફ કોમર્સના નવા હોદ્દેદારો વરાયા

ચોટીલા : મંગળવારનાં રોજ શહેરનાં વેપારીઓની મળેલ બેઠકમાં ચેમ્બર્સ ઓફ કોમર્સનાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, સેક્રેટરી મુકેશભાઈ શાહ, મહામંત્રી ભરતભાઇ રાજવીર, પ્રવિણભાઈ દાણીધારીયા, ખજાનચી વિપુલ કુમાર કોટક સાથે છ વ્યકિતનેઙ્ગ ઉપ પ્રમુખ અને મંત્રી તરીકે વરણી આપવામાં આવી છે. નવી રચનામાં કાયમી આમંત્રિત કમીટી, મિડીયા સેલ કમીટી સહિતના હોદ્દેદારોની વરણી કરાયેલ છે. આ પ્રસંગે શહેરના વેપારી આગેવાનો અને સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા નવી ટીમ વેપારીઓના હિતમાં હંમેશા કાર્યરત રહેશે તેવો કોલ આપેલ હતો. (તસ્વીર - અહેવાલ : હેમલ શાહ, ચોટીલા)(૨૧.૧૪)

(12:49 pm IST)