Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

વેરાવળ માં મહાપ્રભુજી પ્રાગટય મહોત્સવ : શોભાયાત્રા નિકળી

 વેરાવળ માં મહાપ્રભુજીની શોભાયાત્રા માધવરાયજી મહારાજના સાંનિઘ્યમાં નિકળેલ હતી જે શહેર ના વિવિધ માર્ગો ઉપર ફરી ટાવર ચોકે પુર્ણ થયેલ હતી જેમાં હજારો ની સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહેલ હતા અને ઠેર ઠેર માધવરાયજજી મહારાજ નું ફુલહાર થી સ્વાગત કરવામાં આવેલ હતું. મહાપ્રભુજી પ્રાગટય મહોત્સવ ની ભકિતભાવ પુર્વક ઉજવણી થયેલ હતી.  મહારાજના ડેલામાંથી માધવરાયજી મહારાજના સાનિઘ્યમાં શોભાયાત્રા નિકળેલ હતી તેમાં  આકર્ષક ફલોટ,રથ,ડી.જે સાથે નિકળેલ હતી તે સુભાષ રોડ,સટા બજાર, લાઈબ્રેરી, બંદર રોડ, ટાવરચોક માં પુર્ણ થયેલ હતી. આ શોભાયાત્રા માં રાજમાર્ગો ઉપર માધવરાયજી મહારાજનું ગાંધીરોડ, ધનલક્ષ્મી માર્કેટ, જુના રબાડી વાડા ના નાકે,પટેલ વાડા ના નાકે, સુભાષ રોડ,નાની હવેલી, સ્વામીનારાયણ મંદિર, સટા બજાર, ડાયમંડ ટોકીઝ, ખારવા સમાજ દ્વારા લાઈબ્રેરી એ, કૈલાશ પેટ્રોલપંપ, કલેકટર ઓફીસ રોડ, ટાવર ચોક સહીત અનેક વિસ્તારોમાં  હારતોરા કરીને સ્વાગત કરાયેલ હતું. વૈષ્ણવો એ રાસ લીધેલ હતા. નાની હવેલીએ મુખ્યાજી દ્વારા સ્વાગત કરેલ હતું તેમજ બાવાશ્રીએ ત્યાં આરતી કરેલ હતી સાંજે તાલાલા રોડ ઉપર આવેલ મોટી હવેલીમાં વંચનામૃત તેમજ મહાપ્રસાદ નું આયોજન કરાયેલ હતું.(૨૩.૧૦)

(12:46 pm IST)