Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

અમરેલી જિલ્લામાં પાંચ તાલુકામાં ૨૨મીએ જુદી જુદી ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી જગ્યાએ પેટાચુંટણી

અમરેલી તા. ૧૩ : જિલ્લામાં ગ્રામ પંચાયતોની સમાન્ય ચુંટણીનો તમ્બકો પુર્ણ થયા બાદ જે જે ગામોમાં સરપંચ કે સભ્યોની જગ્યઓ ખાલી છે તેવા ગામ માટે પેટા ચંુટણીઓ જાહેર કરવામાં આવી છે.

જાહેરનામા મુજબ તા.૨૨ ના જે તે ગામમાં મતદાન પ્રક્નિયા યોજવામાં આવશે.સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધિ મતદાનનો સમય રહેશે.જરૂર પડે તો તા.૨૩ ના પુનઃમતદાન અને તા.૨૪ ના સવારે ૯ વાગ્યેથી જે તે તાલુકા મથકે મતગણતરી યોજાશે.કુંકાવાવ, લાઠી, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદના પાંચ ગામોમાં ચુંટણી યોજાશે.૧૪ ગામોમાં વોર્ડની ચુટણી થશે.સાથે જ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બનાવામાં આવી છે.(૨૧.૧૫)

(12:45 pm IST)