Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

માંગરોળનાં તા. મામલતદારની સરકારી ફરજમાં રૂકાવટ

જુનાગઢ તા. ૧૩: માંગરોળ ખાતે નાયબ મામલતદારની ફરજ બજાવતાં ચતુરભાઇ ધનજીભાઇ ગોહિલ ગઇકાલે તેમની ફરજ પર હતા.

ત્યારે માંગરોળનો અમિત લખમણ ગરચર સામાજિક-પછાત શૈક્ષણિક પ્રમાણપત્ર મેળવવા આવેલ.

પરંતુ આ શખ્સને શ્રી ગોહિલે પ્રમાણપત્ર માટે જરૂરી વિગતોની પૂર્તતા કરાવ્યાનું કહેતા જેનાથી ઉશ્કેરાઇ જઇને અમિત ગરચરે એલફેલ બોલીને સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી.

આ અંગે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

(11:40 am IST)