Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

જુનાગઢમાં સાધુસંતોનો ભંડારો

જુનાગઢઃ મહંત યોગીશ્રી સોમનાથજી ગુરૂશ્રી રાજનાથજી ગોરક્ષા ધુણો ગિરનાર તથા શ્રીનાથજીનો દલીચો ગોધાવાવ પાટી ગિરનાર રોડ જુનાગઢ દ્વારા શંખઢોળ તથા ભંડારો યોજાયો હતો આ કાર્યક્રમ અંતગર્ત બુધવારે વૈધનાથમહાદેવ મંદિર થી શોભાયાત્રા નીકળી હતી અને જમાતના સંતોના સામૈયા કરાયા હતા રાત્રે ૮ કલાકે શંખઢોળ વિધિ તેમજ શૈલેષ મહારાજ તથા સાથી કલાકારોની સંતવાણી નો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ ગુરૂવારે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે મહાપ્રસાદ ભંડારો યોજાયો હતો ઉપરોકત તસ્વીર ભંડારામાં પ્રસાદ લેતા સાધુ સંતોને ભેટપુજાા અપર્ણ કરતા પુ ભોલેનાથજી મુશેરનાથબાપુ પુ. સોમનાથજીબાપુ વગેરેનજરે પડે છે (અહેવાલઃ વિનુજોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:37 am IST)