Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

જૂનાગઢ : દિવ્યાંગ બાળકોની સંસ્થાને અનુદાન

જૂનાગઢ : માંગરોળના વતની અને સદભાવના ફાઉન્ડેશન-મુંબઇના મેનેજીંગ ટ્રસ્ટી મધુકરભાઇ શેઠ મંગરોળની મુલાકાત દરમિયાન પ્રતિનિધિ રમેશભાઇ શેઠ દ્વારા મેંદરડામાં અતિગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા શ્રીજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત તા. ૨૬-૩ના કરાવતા સંસ્થાના અતિગંભીર દિવ્યાંગ રર જેટલા બાળકોની પરિસ્થિતી જોઇને મધુકરભાઇ શેઠનું હૃદય દ્રવી ઉઠતા તેઓએ મુંબઇ જઇને સદભાવના ફાઉન્ડેશન ટ્રસ્ટી મંડળની મીટીંગ બોલાવી મેંદરડાની સંસ્થાના બાળકોને મેડીકલ સહાય માટે મનસુખભાઇ વાજા તથા અન્ય મિત્રો સાથે લઇ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કૌશિકભાઇ જોષીને રૂ. ૧ લાખનો ચેક અર્પણ કરેલ હતો. વિશેષમાં રમેશભાઇ શેઠ દ્વારા તેઓના બીજા ટ્રસ્ટ સુનિધિ ચેરીટી ફાઉન્ડેશન - મુંબઇ તરફથી રૂ.૧૧ હજારનો ચેક પણ અર્પણ કરેલ હતો. સંસ્થાને મનસુખભાઇ વાજા દ્વારા જૂદા જૂદા દાતાઓનો સંપર્ક કરી મકાન બાંધકામ માટે અત્યાર સુધીમાં રૂ. ૩.૫૦ લાખ એકત્ર કરી મદદ કરેલ છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા - જૂનાગઢ)

(11:36 am IST)