Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

સુત્રાપાડાના વાસાવડમાં પ્રાણપ્રતિષ્ઠા

પ્રભાસ પાટણઃ સુત્રાપાડા તાલુકાનાં વાસાવડ ગામે ચૈત્રી દશમના દિવસે વીજાબાપા ભરગાનાં મંદિરનો જીર્ણોધ્ધાર કરી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવેલ. સમસ્ત ભરગા પરીવાર અને વાસાવડ ગામનાં દરેક લોકો સાથે મળીને વીજાબાપાની મૂર્તિને ડી.જે.ના તાલે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવેલ અને ત્યાર બાદ સોમનાથનાં સોમપૂરા બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર યજ્ઞોપવિત વિધિથી વિજાબાપાની મૂર્તિને પ્રાણપ્રતિષ્ઠા કરવામાં  આવેલ તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ અને અન્ય મહાનુભાવોએ હાજરી આપેલ. જેશાભાઇ ભરગાએ જણાવેલ કે ૪૦૦ વર્ષ પહેલા ગાયોના રક્ષણ માટે બલિદાન આપનાર વીજાબાપા ભરગા પર ભરગા પરીવાર અને વાસાવડ ગામનાં લોકોને અતૂટ શ્રધ્ધા આવેલ છે. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાઇ તે તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:33 am IST)