Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

વાંકાનેરના ચંદ્રપુરમાં રેશનકાર્ડ ધારકોને અન્યાયઃ તપાસની માંગણી

વાંકાનેર તા. ૧૩ : વાંકાનેર સામાજીક કાર્યકર અને આર.ટી.આઇ એકટીવીસ્ટ ટી.આઇ. અમરેલીગાએ કલેકટર શ્રી અને જીલ્લા પુરવઠા અધિકારીશ્રીને પત્ર પાઠવીને વાંકાનેર તાલુકામાં થયેલ રાશન કૌભાંડ મુદ્દે તપાસ કરીને દુકાનદારનો પરવાનો રદ કરવા માંગણી કરી છે.

તોફીક આઇ.અમરેલીયાએ વધુમાં જણાવ્યું છે કે વાંકાનેરના તાલુકાના ચંદ્રપુરમાં રાશન કૌભાંડ કરાયું છ.ે જેમાં કેરોસીન, ઘઉં, ચોખાનો ઉપાડ બતાવાયો છે પરંતુ પુરતો જથ્થો અપાતો ન હોવા અંગે યોગ્ય કરવા માંગણી કરી છે.

(11:29 am IST)