Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

વાંકાનેરના પાજ ગામે ઉધારમાં ફાકી ન આપતાં શાકીર પર લાકડી-બોટલના ઘા

કાદર સંધી અને તેની સાથેના બે શખ્સોએ ધમાલ મચાવી

રાજકોટ તા. ૧૩: વાંકાનેરના પાજ ગામે રહેતાં અને ગામમાં પાન-બીડી તથા પંચર સાંધવાની દૂકાન ધરાવતાં શાકીર મહમદભાઇ સેરસીયા (ઉ.૩૦) પર સાંજે છએક વાગ્યે તે પોતાની દૂકાને હતો ત્યારે ગામના જ કાદર અબ્દુલભાઇ સંધી અને બે અજાણ્યા શખ્સોએ આવી ઝઘડો કરી લાકડીથી માર મારી તેમજ સોડા બોટલોના ઘા કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી. શાકીરના પિતાના કહેવા મુજબ શાકીરે ઉધારમાં પાન-ફાકી આપવાની ના પાડી દતાં કાદર ઉશ્કેરાયો હતો અને બીજા બે મિત્રોને બોલાવી લાવી હુમલો કર્યો હતો.

રૈયાના કમલેશગીરી પર ગઢડામાં હુમલો

રૈયામાં રહેતાં કમલેશગીરી ભગવાનગીરી ગોસ્વામી (ઉ.૩૦)ને તે ગઢડામાં સ્મશાન પાસે હતો ત્યારે જુના મનદુઃખને લીધે ભીખુગીરી સુખદેવગીરી, અનિલ સહિતે હાથમાં તલવારથી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. (૧૪.૫)

(10:01 am IST)