Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

મોરબીના ચચાપરની પરણીતાને ત્રાસ આપવાના કેસમાં પતિ ,સાસુ,નણંદ અને દિયરને દોઢ વર્ષની સજા ફટકારાઇ

 

મોરબીના ચાંચાપર ગામે રહેતી પરણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાના કેસમાં મોરબી કોર્ટ દ્વારા પતિ સહીત ચાર આરોપીઓને દોઢ વર્ષની સજા અને રૂપિયા દોઢ હજારનો દંડ ફટકાર્યો હતી

   કેસની વિગત મુજબ મોરબીના ચાચાપરમાં રેહતી પરણીતા ઉમીલાબેન ભાલોડીયાએ વર્ષ ૨૦૧૪માં તેનો પતી ચેતન ભુદરભાઈ ભાલોડીયા, સાસુ અનસોયાબેન ભુદરભાઈ ભાલોડીયા, નણદ અસ્મીતાબેન ભુદરભાઈ ભાલોડીયા અને દિયર કિશન ભુદરભાઈ ભાલોડીયા સહિતના શખ્સો તેને શારીરક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોધાવી હતી જે બાબતે પરણીતા ફરિયાદ પરથી ધારાશાસ્ત્રી દીપકભાઈ પારધી ધારદાર દલીલોને ધ્યાને રાખી મોરબીની જે.એમ.એફ.સી. કોર્ટના ટી.એમ.ભાડજા દ્વારા ચારેય આરોપીને દોઢ વર્ષની સાદી સજા અને રૂપિયા ૧૫૦૦ નો દંડ ફટકારવામ આવી છે

(10:58 pm IST)