Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વિસાવદરમાં ગુરૂવારે હઝરત નવહથ્‍થા પીરનો ઉર્ષ : મીલાદ શરીફ : આમ નિયાઝ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૩ : વિસાવદરમાં દુધાળા-માણદીયા રોડ પર આવેલ હઝરત નવહથાપીરના ઉર્ષ શરીફનુ શાનદાર આયોજન કરવામા આવ્‍યુ છે.આગામી તા.૧૬ ગુરુવારના રોજ ઉર્ષ ઉજવાશે.

નવહથાપીર દરગાહના મુજાવર સુલ્‍તાનમીયા હુશેનમીયા કાદરીના જણાવ્‍યા મુજબ સાવરકુંડલા થી બુલ બુલે બાગે મદિના મોહસીન બાવનકા એન્‍ડ ગ્રુપ અને વિસાવદર જુમ્‍મા મસ્‍જિદનાં મોલાના મુફતી તનવીર હસન અશરફી સાહેબ તથા મૌલાના અયુબ આલમ સાહેબ તકરીર ફરમાવશે ત્‍યારબાદ આમ નિયાઝનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે.ઉર્ષ શરીફના આયોજક સુલતાનમીયા હુશેનમીયા કાદરી, મેહબુબમીયા હુસેનમીયા કાદરી, રફિકમીયા સુલતાનમીયા કાદરી, આસીફ એમ.કાદરી (પત્રકાર)એ હિન્‍દુ-મુસ્‍લિમ સૌને જાહેર આમંત્રણ પાઠવ્‍યુ છે.

(1:51 pm IST)