Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જેતપુર પુરૂષોતમધામ હવેલી ખાતે કૃષ્‍ણકુમારજીનું સ્‍વાગત

જેતપુર : શ હેરના સુદામા નગર વિસ્‍તારમાં આવેલ શ્રી પુરૂષોતમધામ હવેલી ખાતે ગઇકાલે રંગ પંચમીના દિવસે વૈષ્‍ણવાચાર્ય પુ. કૃષ્‍ણકુમારજી મહોદયની સહ પરીવાર પધરામણી ઘણા લાંબા સમય બાદ થતી હોય તેના સ્‍વાગત માટે વ્‍ૈષ્‍ણવોમાં ઉત્‍સાહ પ્રર્વતતો હતો. પુ. કૃષ્‍ણકુમારજી મહોદય પુ. આશ્રયકુમારજી મહોદયનું ધોરાજી રોડ ખાતેથી બેન્‍ડવાજા સાથે સ્‍વાગત કરાયું હતું. શોભાયાત્રામાં આચાર્યશ્રીને બગીમાં બેસાડી મુખ્‍ય માર્ગો પર ફરી હવેલી ખાતે ધર્મસભામાં પરીવર્તીત થયેલ. ત્‍યાં પ્રવચન શ્રીના મનોરથના દર્શનનો લ્‍હાવો શહેરના આગેવાન ઉદ્યોગપતી ચોક રાજુભાઇ હીરપરા અશોકભાઇ રાદડીયા, લલીતભાઇ રાદડીયા, હરેશભાઇ ગઢીયા સહીત ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી વૈષ્‍ણવો ઉમટી પડયા હતા.

(1:46 pm IST)