Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જેતપુરમાં અવતરણ દિન

 જૂનાગઢ : પૂ.સંતશ્રી નિલકંઠચરણદાસજી સ્‍વામી ગાદી સ્‍થાન જેતપુરના ૬૪માં અવતરણ દિન નિમિતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકિમભાઇ મહેતા તથા સ્‍ટેન્‍ડિંગ કમિટિના હોદ્દેદારો તથા રાજકોટ શહેરના જ્ઞાતિ અગ્રણી તમામ જેતપુર મુકામે ઉપસ્‍થિત રહ્યા હતા. રા.બ્રા.જ્ઞાતિ સેવા સંઘના હોદ્દેદારો વતી પ્રમુખ બંકિમભાઇ મહેતાએ હાર પહેરાવી સ્‍વામીશ્રીનું સન્‍માન કર્યું હતું અને હોદ્દેદારોએ આશીર્વાદ પ્રાપ્‍ત કરી અને ધન્‍યતા અનુભવી હતી.

(1:23 pm IST)