Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પોરબંદરના નવા જલારામ મંદિરે રોટલા મનોરથઃ સત્‍સંગ-પ્રસાદ

પોરબંદર તા.૧૩ : એસ.ટી. રોડ એવરગ્રીન હોટલ પાસે નવા જલારામ મંદિરે ગુરૂવારે તા.૧૬મીએ રોટલા મનોરથનું આયોજન કરેલ છે.

આગામી તા.૧૬મીના ગુરૂવારે પરમ પુજય સંત જલારામબાપાના મંદિરમાં રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્‍યું છે. મુખ્‍ય મનોરથી શ્રીમતી પ્રભાબેન રમણીકલાલ નથવાણી દ્વારા આ રોટલા મનોરથનું આયોજન કરેલ છે. અન્‍ય ભકતોને જો રોટલા ધરાવવા હોય તો ગુરૂવારે સાંજે ૪ થી ૪.૩૦ વાગ્‍યા સુધી ધરાવી શકે છે. આ  અવસરે સત્‍સંગ અને પ્રસાદ રાખેલ છે. ભાવિકોએ લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

(1:23 pm IST)