ભૂપેન્દ્રભાઇ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરતા મહાનુભાવો
જામનગર : જામનગર તા.૧૨ માર્ર્ચં, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.૧૨માર્ચના રોજ દ્વારકા જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. એરપોર્ટ ખાતે તેમનું આગમન થતાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, અગ્રણીઓ વિમલભાઈ કગથરા, રમેશભાઈ મૂંગરા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, ધારાસભ્યો મતી રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, રેન્જઆઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું, કલેકટર ડૉ. સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. વિનોદ ભંડેરી, પ્રદીપસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશ બાંભણીયા,જાડાના ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, એરપોર્ટ ઓથોરીટીના ડિરેક્ટર સચિન ખંગાર સહિતના મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર) (૯.ર)
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૩ : દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાઇ રહેલા શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલા નવ કુંડી મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશા દર્શનમાં આપણે જી-૨૦ સમિટની યજમાની કરી રહ્યા છીએ. તેમાં પણ વસુધૈવ કુટુંબકમની થીમ રહેલી છે. આજ સમયે દ્વારકામાં વિશ્વ કલ્યાણ માટે મહાયજ્ઞ યોજાય રહ્યો છે તેમાં પણ બહુજન સુખાય બહુજન હિતાય સહિત સર્વના કલ્યાણની ભાવના રહેલી છે. સર્વના કલ્યાણની પ્રાર્થના એ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે તેમ જણાવી આધ્યાત્મિક ચેતનાને સામાજિક અને લોક સેવાની ચેતના સાથે જોડીને વિકસિત ગુજરાત થી વિકસિત ભારતની નેમ સાથે આગળ વધવું છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આત્મા નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતની નેમને સાકાર કરવા સાંસ્કૃતિક વિરાસતોને ઉજાગર કરીને સંતો મહંતોના આશીર્વાદથી આપણે લોક કલ્યાણના કાર્યો કરવા છે.
ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકા કોરિડોરનું કાર્ય સંતો મહંતોના આશીર્વાદથી આપણે આગળ વધારીશું તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસમાં રાજય સરકાર કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.
આ તકે શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત માધવાચાર્યજી મહારાજ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞના સંતશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત દ્વારકા હોટેલ એસોશીએશન, વેપારી એસોશીએશન, દ્વારકાધીશ મંદિર પૂજારી તેમજ બ્રહ્મ સમાજ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, ધારાસભ્યશ્રી પબુભા માણેક, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, મહંતશ્રી નરસિંહદાસજી મહારાજ - ધ્રોલ, જગતગુરુ મહંતશ્રી અયોધ્યાચાર્યજી મહારાજ હરિદ્વાર, મહંતશ્રી ૧૦૦૮ દિલીપદાસજી મહારાજ, અમદાવાદ સહિતના મહંતશ્રી, કલેકટર શ્રી એમ.એ .પંડ્યા સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા ગુજરાત રાજય પર બની રહે તેવી પ્રાર્થના કરી હતી.તેમજ મુખ્યમંત્રી શ્રીએ પાદુકા પૂજન પણ કર્યું હતું
આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, તોરણીયા મહંત રાજેન્દ્રદાસ બાપુ, કલેકટર એમ. એ.પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ તથા અધિકારીઓ સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.