Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ટંકારાઃ દોશી વિદ્યાલયના આચાર્યએ પીએચડીની ડીગ્રી પ્રાપ્‍ત કરી

ટંકારા, તા.૧૩: એમ.પી. દોશી વિદ્યાલયમાં આચાર્ય ખાંભલા વાઘાભાઈ આલાભાઈએ સૌરાષ્‍ટ્ર યુનીવર્સીટીમાંથી પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી શાળા પરિવાર અને ટંકારા પંથકનું ગૌરવ વધાર્યું છે.

ખાંભલા વાઘાભાઈ આલાભાઇએ ધોરાજીની કે.ઓ.શાહ કોમર્સ કોલેજના આચાર્ય ડો. સી.વી.બાલધાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્‍ટ્ર યુનીવર્સીટીમાંથી સ્‍વામી દયાનંદ સરસ્‍વતી કળત ઋગ્‍વેદાદિ ભાષ્‍યભૂમિકા એવમ સંસ્‍કારવિધિ કે સંદર્ભમેં સમાજ વ્‍યવસ્‍થા વિષય પર શોધ નિબંધ રજુ કર્યો હતો અને સૌરાષ્‍ટ્ર યુનીવર્સીટીએ તેમને પીએચડીની પદવી એનાયત કરી છે જે સિદ્ધિ બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્‍યા છે અને તેઓએ સમગ્ર શિક્ષણ જગત અને ટંકારા તાલુકાનું   ગૌરવ વધાર્યું છે.

(11:54 am IST)