Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જામજોધપુરમાં વિનય વિદ્યા મંદિરે વાર્ષિક ઉત્‍સવની ઉજવણી

જામજોધપુરઃ શ્રી સંતોકબેન નાનજી કાલી દાસ મહેતા સાર્વજનિક બાલમંદિર ટ્રસ્‍ટ સંચાલિત શ્રી વિનય વિદ્યા મંદિરનો વાર્ષિક મહોત્‍સવ તેમજ વિદાય સમારંભ તેમજ ૨૫ વર્ષ પૂર્ણ થતાં શિક્ષકોનું સન્‍માનનું આયોજન કરાયું હતું સંસ્‍થાના પ્રમુખ નરેન્‍દ્રભાઈ કવૈયાની આગેવાની હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી આ કાર્યક્રમમાં જામજોધપુર સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.જગતપ્રસાદ દાસજી સ્‍વામી તથા રાજકીય આગેવાનો, દાતાઓ, વાલીઓ તેમજ શહેરીજનો ઉપસ્‍થિત રહ્યાં હતાં આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્‍ટાફે મોટી જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર)

(11:53 am IST)