Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

૧૦ દિ'ના વસંતોત્‍સવનો પ્રારંભ કરાવતા મુળુભાઇ

ખંભાળિયા તા.૧૩ : તાજેતરમાં ગાંધીનગર ખાતે દશ દિવસના વસંતોત્‍સવનો પ્રારંભ રાજયના વન પર્યાવરણ તથા સાંસ્‍કૃતિક મંત્રી  મુળુભાઇ બેરાના હસ્‍તે થયો હતો.

ગાંધીનગરમાં સંસ્‍કૃતિ  કુંજ ખાતે એક ભારત શ્રેષ્‍ઠ ભારતની થીમ ઉપર ગણેશ વંદના સાથે વસંતોત્‍સવનો પ્રારંભ કરાયો હતો તથા રાજય મંત્રી મુળુભાઇ બેરા સાથેગાંધીનગરના મેયર હિતેશભાઇ મકવાણા ધારાસભ્‍યો રીટાબેન પટેલ રાજેન્‍દ્રસિંહ રાઠવા, અભેસિંહ તડવી જોડાયા હતા.

દેશભરના લોકનૃત્‍યોનો કાર્યક્રમ અહીં સતત દશ દિવસ સુધી ચાલશે તથાજાણીતા કલાકાર ઓસમાણ મીરે તેમની કૃતિ રજુ કરી હતી તથા ગુજરાતના ડાંગી, પંજાબના ભાંગડા, ઓરિસ્‍સાના સાંબલપુરી, છતીસગઢનું સેલા, નૃત્‍ય રાજસ્‍થાનનું કાલબેલીયા, પરંપરાગત ભવાઇ નૃત્‍ય તથા કેરવા નૃત્‍યની પ્રસ્‍તૃતિ થઇ હતી. રાજકોટનું જીજ્ઞેશ સુરાણી ગ્રુપ પણ જોડાયું હતુ.

(11:52 am IST)