Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બોટાદ તેમજ અન્‍ય અકસ્‍માતના મૃતકોના પરિવારજનોને પૂ. મોરારીબાપુની સહાય

રાજકોટ તા. ૧૩ : ધૂળેટીના તહેવાર બાદ બોટાદ જિલ્લાના સેંથળી ગામના ૪ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયાં હતાં. આ હતભાગી બાળકો કેનાલમાં નાહવા પડેલા અને તે દરમિયાન આ ચાર માસુમ બાળકોનાં મોત થયાં હતાં. પૂજય મોરારીબાપુએ આ ચાર બાળકોનાં પરિજનો પ્રત્‍યે સંવેદના દર્શાવી પ્રત્‍યેક બાળક દીઠ રૂ ૧૧ લેખે કુલ મળીને રૂપિયા ૪૪ હજારની સહાય અર્પણ કરી છે. આ સિવાય તળાજા તાલુકાના સાંકડાસર ગામે એક યુવકનું પાણીની કેનાલમાં ડૂબી જવાથી મૃત્‍યુ થયું હતું તેના પરિજનોને પણ રૂપિયા ૧૧૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરેલ છે. એ ઉપરાંત વડોદરા જિલ્લાના પાદરા ખાતે અને સુરત ખાતે પણ કુલ ત્રણ વ્‍યક્‍તિઓ અકસ્‍માતમાં મૃત્‍યુ પામી છે જેમના પરિજનોને પણ સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવી રહી છે.ᅠ

અકસ્‍માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓ પ્રત્‍યે સંવેદના દર્શાવી પૂજય મોરારીબાપુ એ તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરેલ છે. પૂજય બાપુ દ્વારા જે આર્થિક સહાય અર્પણ કરવામાં આવે છે તે અકાળ અવસાન પામતી વ્‍યકિતઓ માટે ની તેમની ઉંડી સંવેદનશીલતા દર્શાવે છે. ગત દિવસોમાં મહુવા તાલુકાના ગામોમાં પણ આ પ્રમાણે સહાયતા રાશિ અર્પણ કરી છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

(10:39 am IST)