Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

“પપ્પા મારા મરવાનું એક જ કારણ છે કે, તમે મને ક્યારેય પોતાની દિકરી સમજી ન હતી :ધોરાજીમાં ધો-11ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો: સ્યુસાઇડ નોટ મળી

મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે, જેમને મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. સોરી ડેડી… આઈ હેટ યુ પાપા”

ધોરાજીમાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીએ એક સ્યુસાઈડ નોટ લખી છે, જેમાં પિતાથી નારાજ થઈને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. રાજકોટમાં ધોરાજીમાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પિતાથી નારાજ થઈને આપઘાત કરી લેતા ચકચાક મચી છે. ધોરાજીની રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જ ગળે ફાંસો ખાઈની આપઘાત કર્યો છે.

મૃતક વિદ્યાર્થીની પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે પિતાથી નારાજ થઈને આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત પિતા તેને દિકરી ન સમજતા હોવાનો અને વારંવાર ગુસ્સો કરતા હોવાથી પણ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતક યુવતીની સ્યુસાઈડ નોટમાં લખ્યું છે, “પપ્પા મારા મરવાનું એક જ કારણ છે કે, તમે મને ક્યારેય પોતાની દિકરી સમજી ન હતી અને બસ ઓર્ડર અને ગુસ્સો કરતા હતા. મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે, જેમને મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. સોરી ડેડી… આઈ હેટ યુ પાપા”

   
(12:06 am IST)