Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જેતપુરમાં સોનાના દાગીનાની ડીઝાઇન જોવાના બહાને ૧.૪૦ લાખની છેતરપિંડી

 જેતપુર તા.૧૩: અત્રેના પટેલનગર, ધોરાજી રોડ વિસ્તારમાં રહેતા ર પરિવારના લોકોને વિશ્વાસમાં લઇ અજાણ્યો શખ્સ સોનાના દાગીનાની છેતરપિંડી કરી લઇ ગયાની ફરિયાદ શહેર પોલીસમાં નોંધાતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળતી વિગત અનુસાર શહેરના ધોરાજી રોડ પટેલનગર વિસ્તારમાં રહેતા વાસુદેવભાઇ પરસોતમભાઇ ઠાકર તેમજ તેના પાડોસમાં રહેતા બિનાબેન વિનોદરાય પારેખને ગત જાન્યુઆરી ૨૦૧૮માં કોઇ અજાણ્યો શખ્સ બંન્નેનો વિશ્વાસ કેળવી તેમની પાસે રહેલ સોનાના દાગીનાની ડીઝાઇન મારે બનાવવી છે તેમ કહી કુલ મળી ૭ તોલા સોનાના દાગીના કિ.રૂ. ૧.૪૦ લાખના લઇ છુમંતર થઇ ગયેલ બાદમાં તેની તપાસ કરતા મળી આવેલ ન હોય થોડો સમય તે પોતાનો કોઇ સંબંધી હશે તેમ માની ફરિયાદ કરેલ ન હતી જયારે પોતાની સાથે છેતરપિંડી થયેલ હોવાનું માલુમ પડતા શહેર પોલીસમાં વાસુદેવભાઇ ઠાકર અને બિનાબેન પારેખે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી પી.એસ.આઇ. આર.કે. ચાવડાએ હાથ ધરી છે.

(4:10 pm IST)