Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ધ્રાંગધ્રા-કુંડા રણ ગુડઝ ટ્રેન બંધ કરાતા મતદાન બહિષ્કારની અગરીયાઓની ચિમકી

વઢવાણ તા.૧૩: રણમાં અગરીયાઓ ખરીદી કરી શકે આવી જઇ શકે એ માટે ધ્રાંગધ્રાથી કુંડા રણમાં ગુડઝ ટ્રેન ચાલતી હતી જે એકાએક બંધ કરી દેવામાં આવેલ છે.

ત્યારે અગરીયાઓ દ્વારા આ ગુડઝ ટ્રેનને ફરિવાર શરૂ કરવા માટેની માંગ કરવામાં આવેલ છે. જયારે ધ્રાંગધ્રા-કુંડા ટ્રેન જો ચાલુ ન થાય તો મતદાન બહિષ્કાર કરવા માટે જણાવવામાં આવેલ છે. જયારે અગરીયાઓના મત રણમાં વધુ હોવાના કારણે સરકારમાં ફેર પડી શકે છે. અગરીયા માટે ગુડઝ ટ્રેન ધ્રાંંગધ્રા કુંડા શરૂ કરવા માટેની માંગ હાલ અગરીયાઓ દ્વારા કરવામાં આવેલ છે.(૧.૫)

(11:57 am IST)