Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ધોરાજીના છાડવાવદર ગામે ભાદર નદી કાંઠે સીમ વિસ્તારમાં સિહના ધામા : ભેસનુ મારણ

( કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી ના ગામીણ વિસ્તારો માં છેલ્લા ધણા સમય થી સિહોઓએ ધામા નાખ્યા છે.જેમાં છાડવાવદર ગામે ભાદર નદી કાંઠે આવેલ વાડીમાં સિહોએ ભેસનુ મારણ કર્યાનો બનાવ બનતાં સ્થાનીક ગ્રામજનો એ વન વિભાગને જાણ કરાતા વન વિભાગ ના અધિકારીઓ, કર્મચારીઓ ધટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી

ધોરાજી ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જોષીબેને જણાવ્યું હતું કે ધોરાજી ના છાડવાવદર ગામ સીમ વિસ્તારમાં સિહે મારણ કરવા ની જાણ થતા વન વિભાગ ની ટીમ દોડી જઈ ને ખેડૂતોને જાગૃત કરવા સીમ - વાડીઓમાં વાડ માં વિજ કરંટ ન રાખવા જાગૃતી અભીયાન શરૂ કરાયેલ છે કોઈ લોકોએ સિહોનુ વિડિયો શૂટિંગ કે ફોટો ન પાડવા અપીલ કરાઈ છે.

(4:28 pm IST)