Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ખાંભલીયાના ભાતેલ ગામે પાક નિષ્ફ્ળ જતા ખેડૂતનો આપઘાત

પાક ફેઈલ જતા બેન્કના વધતા જતા દેવાની બીકે હનુભા જાડેજાએ ઝેરી દવા પી લીધી

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હનુભા દેવીસિંહ જાડેજા નામના 49 વર્ષના યુવાને પાકનું વાવેતર કર્યું હતું. આ પાક નિષ્ફળ જતાં આ પાકના કારણે તેમના પર બેંકનું દેવું ચડતું થયું હતું. બેંકના દેવાના બીકે વ્યથિત બની ગયેલા હનુભા જાડેજાએ ગઇકાલે મંગળવારે પોતાના હાથે ઝેરી દવા પી લેતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર પરાક્રમસિંહ હનુભા જાડેજા (ઉ.વ.22) એ અહિંની પોલીસને કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

(1:53 pm IST)