Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ખંભાળીયાના ભાતેલ ગામે કરજ વધી જતા ખેડૂત હનુભાનો આપઘાત

ખંભાળીયા તા ૧૨ : તાલુકા ભાતેલ ગામે રહેતા હનુભા દેવીસ્ંહ જાડેજા (ઉ.વ.૪૯) ને પાક નિષ્ફળ જતા બેંકનું કરજ વધી જતા ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ટાટા કંપની ને નુકશાન

દ્વારકાના  ખંતુબા ગામે આવેલ ટાટા કંપની ની જમીનમાં ખારા પાણીના કયારઓ ૧૪ઘ ઓ ૧૫ આ બન્ને કયારામાં આરોપી પ્રતાપભા  ધનાભા સુમણીયા (ર) ભીખાભાઇ રામજીભાઇ મારાજ આ બંને લોકોએ જેસીબી મશીન વડે જમીનમાં ગે.કા. પ્રવેશ કરી કયારા આઠથી દસ ફુટ જેટલું તોડી નાખી કંપનીને આર્થિક નુકશાન કર્યાની ફરિયાદ રમેહભાઇ હેરભા એ ઉપરોકત બંને આરોપી વિરૂધ્ધ નોંધાવતા પોલીસેઆગળની તપાસ હાથ ધરી છે. (૩.૭)

(12:08 pm IST)