Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વાંકાનેરમાં કેશરીયા પરિવાર દ્વારા ભાગવત કથામાં શ્રી ક્રૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

 

  વાંકાનેર :  વાંકાનેરના આગણે લોહાણા મહાજનવાડી ખાતે ''કેશરીયા પરિવાર''ના મથુરાદાસ લાલજીભાઈ કેશરીયા તથા માતૃશ્રી દિવાળીબેન મથુરાદાસ કેશરીયા તથા ગોપાલદાસ મથુરાદાસ કેસરિયા તથા સર્વે ગૌલોંકવાસી ના પૂર્વજનોના મોક્ષાર્થે ૅ કેશરીયા પરિવાર  દ્વારા ચાલતી શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સપ્તાહ કથામાં ગઈકાલે તારીખ : ૧૧ / ૧૧ / ૨૧ને ગુરૂવાર ના રોજ  શ્રી જલારામ જ્યંતીના પાવન પુણ્યશાળી રૂડા અવસરે ગઈકાલે કથામાં સાંજે  વામન જન્મ  અને ભગવાન શ્રી રામ ચદ્રંજી નો  શ્રી રામ જન્મ તેમજ ભવ્યતાથી ભવ્ય શ્રી કૃષ્ણ જન્મ ( નંદ મહોત્સવ, મટુકી ફોડ )નો ભવ્ય કાર્યક્રમ ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે વિશાળ જનમેદની સાથે યોજાયેલ અને  નંદ મહોત્સવ નંદ ધેર નંદ ભયો જય કંનેયા લાલ કી જય ના નારા થી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું કેશરીયા પરિવાર ના આગણે રૂડો અવસર આવ્યો હોય તેમના સ્નોહીજનો, વાંકાનેર ના સર્વે વૈષ્ણવો, તેમજ આ પ્રંસગે વિશાળ સંખ્યા માં ભાવિકોએ કૃષ્ણ જન્મના દર્શનનો લ્હાવો લીધેલ હતો કૃષ્ણ જન્મ હોય ટંકારા હવેલી ના મુખીયાજી, રાજકોટ ના શાસ્ત્રીજી   જગદીશભાઈ, વાંકાનેર શ્રી ગાયત્રી મંદિરના અશ્વિનભાઇ રાવલ સહિતના લોકોએ ગઈકાલે હાજરી આપેલ અને કથા માં કૃષ્ણ જન્મ સાથોસાથ ગઈકાલે પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ની (,૨૨૨ મી શ્રી જલારામ જ્યંતી ) હોય પૂજ્ય જલારામબાપા ના પણ સુંદર કીર્તન ભજન પૂજ્ય શાસ્ત્રીજી ગાયેલા હતા અને ગઈકાલે સાથોસાથ લોહાણાની નાત  પણ હતી, ગઈકાલે કથામાં વકતા  પ.પૂજ્ય શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી પી જોષીએ કહેલ કે આજે કેશરીયા પરિવારના આગણે કેવો રૂડો અવસરે આવ્યો છે, જલારામ જ્યંતી અને આજે આઠમનો પણ છે અષ્ટાંમી આજનો પવિત્ર દિવસ છે ભાગવત ઍ કૃષ્ણ છે. માણસને દુઃખની પરિસ્થિતિ ગમે તેવી આવે હિંમતનો હારવી સુખ દુઃખ તોઆવ્યા કરે આ સંસારમાં દુઃખ આવે ત્યાં બસ હરિ સ્મરણ કરવું અને સુખ આવે ત્યારે આપણા થી થાય ઈ સેવા ના કાર્યો કરવા.

(1:01 pm IST)