Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પોરબંદર કીર્તીમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનીટી સુધી વડોદરાની વિદ્યાર્થીની સમિધા દ્વારા સાઇકલ પ્રવાસ

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સ્વચ્છતાથી એકતા તરફના સંકલ્પ સાથે આયોજન

પોરબંદર, તા., ૧૨: વડોદરા રહેતા પટેલ કલ્પેશભાઇ ચીમનભાઇની ધો.૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ૧પ વર્ષની પુત્રી સમિધા આઝાદી કા અમૃત મહોત્સવ સ્વચ્છતાથી એકતા તરફ સંકલ્પ સાથે ગાંધીજીના જન્મસ્થળ કીર્તીમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનીટી પ૪૭ કી.મી.નો સાઇકલ પ્રવાસ આજે તા.૧ર મીથી શરૂ કરી રહી છે.

વિદ્યાર્થીની સમિધા પોરબંદર કીર્તીમંદિરથી સાયકલ પ્રવાસનો પ્રારંભ કરીને ધોરાજી પહોંચશે ત્યાર પછી તા.૧૩ મીએ ધોરાજીથી જસદણ, તા.૧૪ મીએ જસદણથી ધંધુકા જશે. વિદ્યાર્થીની સમિધા તા.૧પ મીએ ધંધુકાથી નીકળીને ધર્મજ જશે. તા.૧૬ મીએ ધર્મજથી વડોદરા તેમજ તા.૧૭મીએ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનીટી જઇ સાઇકલ પ્રવાસ પુર્ણ કરશે.

વિદ્યાર્થીનીના પિતા પટેલ કલ્પેશભાઇએ જણાવ્યું કે પુત્રી સમિધા અગાઉ જુલાઇ ર૦૧૮માં મનાલી-લેહ ખાર ડુંગલા ટોપ શીખર ઉપર ૧૩૮૦ ફુટ - પ૧૭ કી.મી. સાઇકલીંગ કરીને યુવા ધનને રાષ્ટ્રોત્થાન માટે સંદેશ આપેલ હતો.

(1:00 pm IST)