Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રવિવારે ધોરાજીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા લલીતભાઇ વસોયાની આગેવાનીમાં કોંગ્રેસનાં ૧૦ ધારાસભ્યો-આગેવાનોની ઉપસ્થિતિમાં સ્નેહમિલન

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧ર :.. ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આગામી તા. ૧૪ ને રવિવારે સાંજે ૪ કલાકે ધોરાજી શહેર અને તાલુકા કોંગ્રેસનું સ્નેહમિલન યોજાશે.

કાર્યક્રમના અધ્યક્ષ અર્જુનભાઇ મોઢવાડીયા અને આમંત્રીત મહેમાનોમાં ઋત્વીકભાઇ મકવાણા ધારાસભ્ય ચોટીલા જાવેદભાઇ મહમદભાઇ પીરઝાદા, ધારાસભ્ય વાંકાનેર લલીતભાઇ કથગરા, ધારાસભ્ય પડધરી - ટંકારા હર્ષદભાઇ રીબડીયા ધારાસભ્ય વિસાવદર-ભેસાણ શ્રી પ્રવિણભાઇ મુછડીયા ધારાસભ્ય-કાલાવડ,  ચીરાગભાઇ કાલરીયા ધારાસભ્ય જામજોધપુર, શ્રી વિમલભાઇ ચુડાસમા ધારાસભ્યશ્રી સોમનાથ બાબુભાઇ વાઝા, ધારાસભ્ય માંગરોળ પાલભાઇ આંબલીયા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ - કિશાન મોરચો સહિતનાં કોંગ્રેસના અગ્રણીઓ ખેડૂતો અને સમાજ શ્રેષ્ઠીઓ સહિત અગ્રણી બહોળી સંખ્યામાં હાજર રહેશે.

સૌરાષ્ટ્રમા છેલ્લા કેટલાક વર્ષોથી રાજનીતિ પરિવર્તિત રહી છે. અને સૌરાષ્ટ્રમા વિધાનસભામાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ત્યારે આગામી વર્ષમાં વિધાનસભા ની ચૂંટણીના પડદ્યમ સંભળાઈ રહ્યા છે. એવા સમયે ધોરાજીના ધારાસભ્ય અને રાજનીતિના ચાણકય ગણાતા લલીત વસોયાએ કોંગ્રેસનું સ્નેહમિલન યોજી યજમાન પદ સ્વીકાર્યું છે ત્યારે કોંગ્રેસના સ્નેહમિલન સાથે સંગઠન શકિત મજબુત કરવા કે અન્ય કોઈ કારણ રહ્યું હશે તેના પર રાજકીય રસિયાઓ ચર્ચા કરી રહ્યા છે.

તમામ મહેમાનોને ધારાસભ્ય લલીતભાઇ વસોયા આવકારશે.  આ કાર્યક્રમને સફળ બનાવા ધોરાજી શહેર કોંગ્રેસના યુવા પ્રમુખ અરવિંદભાઇ વોરા, મહામંત્રી ચિરાગભાઈ વોરા, જયેશભાઇ લાખાણી, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તેમજ બિજેશભાઇ વઘાસીયા, ગોપાલભાઈ સલાટ ધોરાજી કોંગ્રેસ યુવા સમિતિના પ્રમુખ તેમજ યુવાનોની ટીમ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.

(11:29 am IST)