Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

એસ.ટી અને કાર વચ્ચે અકસ્માતમા વઢવાણનાં ૩ વેપારીના મોત

કોઠારીયા પાસે ટ્રકને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયોઃ લોકોમાં ઘેરો શોક

વઢવાણ, તા.૧૨: સુરેન્દ્રનગર જીલ્લાના રોડ રસ્તા ઉપર હાલ અકસ્માતોની સંખ્યા માં વધારો થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ અને કોઠારીયા લખતર રોડ ઉપર આજે એસટી બસ અને ટાટા ઇન્ડિકા કાર વચ્ચે ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમા ઘટના સ્થળે ૩ વ્યકિતના મોત નીપજયા હતા ત્યારે વધુ ૨ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ મળતી વિગત અનુસાર આજે સવારે સાણંદથી ઇન્ડિકા કારમા વઢવાણનાં વેપારી વઢવાણ પરત આવી રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના કોઠારીયા પાસે ટ્રકનો ઓવર ટેક કરવા જતાં સામે આવી રહેલી બસ સાથે ટાટા ઇન્ડિકા કાર ધડાકા ભેર અથડાઈ હતી.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા કાર મા બેઠેલા ૫ વ્યકિત માંથી ૩ના મોત ઘટના સ્થળે જ નીપજયા હતા. ત્યારે વધુ ૨ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં ધર્મેશભાઇ અરવિંદભાઇ શેઠ, શૈલેષભાઇ અમૃતલાલ શેઠ અને જગદીશભાઇ જયંતિલાલ શેઠનું ઘટના સ્થળે મોત થયા હતા. જયારે પૂનમભાઇ ચંદુભાઇ અને કમલેશભાઇને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડેલ છે.

સુરેન્દ્રનગર કોઠારીયા રોડ ઉપર થયેલા અકસ્માત મા વઢવાણ ના કંદોઈ પરિવારના ૩ લોકોના મોત નીપજયા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનું વઢવાણમા આ  ત્રણેય વેપારી સારી નામના ધરાવતા હતા અને વઢવાણમા વરસોથી કંદોઈની દુકાન અને નામના ધરાવતા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ ના કોઠારીયા રોડ પાસે અકસ્માત સર્જાતા એકી સાથે દ્યટના સ્થળે ૩ કંદોઈના મોત નીપજયા હતા ત્યારે વધુ ૨ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ નાના અમથા ગામમાં એક સાથે ૩ અર્થી ઉઠતા શોકનો માહોલ સર્જાયો હતો..

(11:57 am IST)