Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ગોંડલિયા પરિવારની ભાગવત સપ્તાહમાં યોજાયેલ મા-બાપને ભૂલશો નહિ નાટક

ગોંડલિયા પરિવાર દ્વારા યોજેલ કથામાં તા.૧૦ના રોજ જામજોધપુરની બાળાઓ દ્વારા મા-બાપની વ્યથા(મા-બાપને ભૂલશો નહિ) સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ નાની બાળાઓએ આબેહુબ પોતાની કૃતિઓ રજુ કરી શાનદાર અભિનય આપેલ. કથાના મૂખ્ય યજમાન હંસરાજભાઇ નાનજીભાઇ ના પૌત્ર અને વિનોદભાઇના પુત્રનું અકસ્માતમાં મોત થવા છતાં પરિવારે કથામાં હાજરી આપેલ. મા-બાપને ભૂલશો નહિ નાટક નિહાળેલ. કથામાં ભાઇ-બહેનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ગોંડલિયા પરિવારના દેશની રક્ષા કરતા સૈનિક શૈલેષભાઇ હેમરાજભાઇ અને માતા જડીબેન તેમજ ગીરીશભાઇ ગોંડલિયા, જગદીશભાઇ મકનજીભાઇ ગોંડલિયા તેમજ વ્યવસ્થા કમિટીના સભ્યો દર્શાય છે.

(11:32 am IST)