Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સુરત : વિદ્યાર્થીઓ પર દાદાગીરી કરાયાના આક્ષેપ સાથે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા કચ્છ ABVPની માંગ

જિલ્લા કલેકટર અને અંજાર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યકત કરાયો

ભુજ : ગત રાત્રે સુરત પોલીસ દ્વારા શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાયેલી નવરાત્રી ઉત્સવ બંધ કરાતા પોલીસકર્મીઓ દ્વારા દાદાગીરી કર્યાના આક્ષેપ મુકાયા છે. એ.બી.વિ.પી.ના કચ્છ વિભાગ દ્વારા આ મુદ્દે આજે જિલ્લા કલેકટર અને અંજાર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યકત કરાયો હતો. સાથે જ પોલીસકર્મીઓ વિરુદ્ધ પગલાં લેવા માંગ કરાઇ હતી

(7:10 pm IST)